વર્તમાન રેપો રેટ: 2022_WC

banner-dynamic-scroll-cockpitmenu_homeloan

reporatemeaning-wc

ભારતમાં હાલનો રેપો રેટ

આજે વર્તમાન રેપો રેટ 6.50%* છે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા8 જૂન, 2023 ના રોજ કરવામાં આવેલી નવીનતમ જાહેરાત મુજબ, રેપો રેટને યથાવત રાખવામાં આવેલ છે કારણ કે મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી) એ તે અંગે સર્વાનુમતે નિર્ણય લીધો હતો.

રિવર્સ રેપો રેટ 3.35% યથાવત રાખવામાં આવેલ છે. બેંકનો દર અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) રેટ બદલીને 6.75% સુધી કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% છે. પરંતુ વાસ્તવમાં રેપો રેટનો અર્થ શું છે?

meaning of repo rate_wc

રેપો રેટનો અર્થ શું છે?

રેપો રેટનો અર્થ વધુ સારી રીતે સમજવા માટે, અહીં શબ્દોનું વિવરણ આપેલ છે. 'રેપો' શબ્દ 'રી-પર્ચેજિંગ વિકલ્પ' અથવા 'રી-પર્ચેજિંગ એગ્રીમેન્ટ' શબ્દથી પ્રાપ્ત કરવામાં આવ્યો છે’. રેપો રેટ એ રેટને દર્શાવે છે જેના પર કોમર્શિયલ બેંકો સુરક્ષા અને બોન્ડ કોલેટરલ સામે આરબીઆઇ પાસેથી પૈસા કર્જ લે છે. નામ સૂચવે છે તે મુજબ, મિલકતને પછીથી સર્વોચ્ચ બેંકમાંથી પૂર્વનિર્ધારિત કિંમતે ફરીથી ખરીદવામાં આવે છે. તેવી જ રીતે, જ્યારે આરબીઆઇ કોમર્શિયલ બેંકો પાસેથી કર્જ લે છે, ત્યારે વ્યાજ શુલ્ક રિવર્સ રેપો રેટ તરીકે ઓળખાય છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની નાણાકીય પૉલિસી અર્થતંત્રમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સ્ટેટયુટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) જેવા કેટલાક ટૂલનો ઉપયોગ કરીને રોકડ પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કોમર્શિયલ બેંકો ફંડના સંકટને પહોંચી વળવા માટે આરબીઆઇ પાસેથી કર્જ લેવાનો આશરો લે છે, ટૂંકા ગાળાની લોન માંગે છે, કેટલીકવાર માત્ર 24 કલાકના સમયગાળામાં.

reporatework_wc

તાજેતરમાં અપડેટ થયેલ

હાલનો રેપો રેટ શું છે?

ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે 8 જૂન 2023 ના રોજ તેના રેટમાં સુધારો કર્યો હતો, જેના પછી કેટલાક ચોક્કસ રેટ બદલાયા છે.

વ્યાજ દરનો પ્રકાર વર્તમાન દર અંતિમ અપડેટનો સમય
રેપો રેટ 6.50%* 8 જૂન 2023

નોંધ: તારીખ 8 જૂન 2023 ના પ્રેસ રિલીઝ મુજબ માહિતી અપડેટ કરવામાં આવી છે.

આરબીઆઇ રેપો રેટ હિસ્ટ્રી_wc

આરબીઆઇ રેપો રેટ ઇતિહાસ: 2014 - 2023

નીચેનું ટેબલ આરબીઆઇ દ્વારા જાળવવામાં આવેલા તાજેતરના રેપો દરો બતાવે છે:

છેલ્લી અપડેટ રેપો રેટ
08-June-2023 6.50%*
08-Feb-2023 6.50%*
07-Dec-2022 6.25%
30-Sep-2022 5.90%
08-Jun-2022 4.90%
13-May-2022 4.40%
04-Dec-2020 4%
09-Oct-2020 4%
06-Aug-2020 4%
22-May-2020 4%
27-Mar-2020 4.40%
06-Feb-2020 5.15%
05-Dec-2019 5.15%
10-Oct-2019 5.15%
07-Aug-2019 5.40%
06-June-2019 5.75%
04-Apr-2019 6.00%
07-Feb-2019 6.25%
01-Aug-2018 6.50%
06-June-2018 6.25%
02-Aug-2017 6.00%
04-Oct-2016 6.25%
05-Apr-2016 6.50%
29-Sept-2015 6.75%
02-June-2015 7.25%
04-Mar-2015 7.50%
15-Jan-2015 7.75%
28-Jan-2014 8.00%

રેપો રેટ કેવી રીતે કામ કરે છે _wc

રેપો રેટ કેવી રીતે કામ કરે છે?

રેપો રેટ અથવા રીપર્ચેઝ રેટ એ વ્યાજ દર છે જેના પર સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) લિક્વિડિટી જાળવવા અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે ટૂંકા ગાળાની ફંડની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોમર્શિયલ બેંકોને પૈસા આપે છે. ઉચ્ચ ફુગાવા દરમિયાન, આરબીઆઇ રેપો રેટને વધારે છે, જેથી બિઝનેસ દ્વારા કર્જ લેવાનું ધીમું થાય છે જે અર્થતંત્રમાં ઇન્વેસ્ટમેન્ટની પ્રવૃત્તિઓને ધીમી કરે છે અને માર્કેટમાં પૈસાના પુરવઠાને ઘટાડે છે. ફુગાવા ઉપરાંત, જ્યારે દેશમાં કરન્સીના અવમૂલ્યનનું જોખમ હોય ત્યારે તમે રેપો રેટમાં વધારો જોઈ શકો છો. વૈકલ્પિક રીતે, ઉચ્ચ મંદી દરમિયાન, લોન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા અને બજારમાં પૈસાના પ્રવાહને વધારવા માટે રેપો રેટ ઘટાડવામાં આવે છે. આજે જૂન 2023 ના રોજનો રેપો રેટ 6.50% છે* .

રેપો રેટની અસર_wc

અર્થતંત્ર પર રેપો રેટની અસર શું છે?

રેપો રેટ અસરકારક રીતે અર્થતંત્રમાં લિક્વિડિટીના વોલ્યૂમને નિર્ધારિત કરે છે. રેપો રેટમાં વધારાથી ધિરાણકર્તાઓને વધુ ખર્ચ થશે - જેની અસર નિયમિત કર્જદારો પર પડે છે. જ્યારે આરબીઆઇ અર્થતંત્રમાં રોકડ પ્રવાહને વેગ આપવા માંગે છે, ત્યારે રેપો રેટમાં ઘટાડો થવાની સંભાવના છે જેથી ઉધાર અને રોકડ ખર્ચને પ્રોત્સાહિત કરી શકાય. રેપો રેટ અર્થતંત્રને નીચેની રીતે અસર કરે છે:

  1. ફુગાવાનો સામનો: રેપો રેટ અને ફુગાવાને વ્યુત્ક્રમ સંબંધ છે; દરમાં વધારો અર્થતંત્રમાં રોકડનો મર્યાદિત પ્રવાહને સુનિશ્ચિત કરે છે, જે ફુગાવામાં વધારો નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે.
  2. લિક્વિડિટી વધારે છે: બીજી તરફ, જ્યારે અર્થતંત્રમાં રોકડ લિક્વિડિટીની તીવ્ર જરૂરિયાત હોય છે, ત્યારે રેપો રેટમાં ઘટાડો કર્જ અને રોકાણના સસ્તા ખર્ચને વધારવામાં મદદ કરે છે.

વ્યક્તિઓ પર રેપો રેટ વધવાની અસર_wc

રેપો રેટમાં થતા વધારાની વ્યક્તિઓ પર થતી અસર

  • સેવિંગ પર અસર - જયારે રેપો રેટ વધે છે, ત્યારે સેવિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવતા વ્યક્તિઓ ઊંચા દરો અને વધુ રિટર્નનો આનંદ માણે છે.
  • કર્જ લેવા પર અસર - વર્તમાન રેપો રેટમાં વધારો થવાથી ધિરાણ દરોમાં વધારો થશે તેથી કર્જ લેવામાં ઘટાડો થશે.
  • મૉરગેજ રેટ પર અસર - રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે વ્યાજના ફ્લોટિંગ રેટ સાથેની તમામ હાલની હોમ લોન મોંઘી થઈ શકે છે, કારણ કે બેંકો આ વધારો ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લઈ શકે છે. આ અનિવાર્યપણે ખરીદદારો માટે હોમ લોન પર સમાન માસિક હપ્તા (ઇએમઆઇ)માં વધારા તરફ દોરી જશે.

રેપો રેટ લિંક્ડ હોમ લોન_wc

રેપો રેટ સાથે લિંક હોમ લોન શું છે?

જ્યારે કર્જદારો તેમના હોમ લોનના વ્યાજ દરોને આરબીઆઇ રેપો રેટ સાથે લિંક કરે છે, ત્યારે તેઓ તેમના વ્યાજ દરને ધિરાણકર્તાના બાહ્ય બેંચમાર્ક સાથે લિંક કરે છે. અહીં હોમ લોનના બે ઘટકો રેપો રેટ સાથે જોડાયેલા છે: 

  • રેપો રેટ: કર્જદારો આરબીઆઇ રેપો રેટ સાથે તેમની હોમ લોનને લિંક કરી શકે છે, જે હાલમાં 6.50% પર છે*. તે કર્જદારોને પારદર્શિતાનો પુરાવો આપે છે, તેમને તેમના હાઉસિંગ લોનના વ્યાજ દરમાં કોઈપણ વધારો અથવા ઘટાડો કરનાર પરિબળોમાંથી એકની દેખરેખ રાખવાની સુવિધા આપે છે.
  • સ્પ્રેડ: આ અતિરિક્ત માર્જિન ધિરાણકર્તા શુલ્ક છે જે અંતિમ હોમ લોન વ્યાજ દર નિર્ધારિત કરવા માટે રેપો રેટ પર વસૂલવામાં આવે છે. જ્યારે રેપો રેટ રાષ્ટ્રીય લેવલે ફિક્સ્ડ કરવામાં આવે છે, ત્યારે તમારી હોમ લોન એપ્લિકેશન સાથે જોડાયેલા જોખમના પરિબળોને ધ્યાનમાં રાખીને વ્યક્તિની પ્રોફાઇલના આધારે સ્પ્રેડ નિર્ધારિત કરવામાં આવે છે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પાત્ર અરજદારોને આકર્ષક રેપો રેટ સાથે લિંક હોમ લોન પ્રદાન કરે છે. અમારી આકર્ષક ધિરાણ શરતોથી લાભ મેળવવા માટે આજે જ અપ્લાઇ કરો. 

*શરતો લાગુ. 

repo_faqs_wc

વારંવાર પૂછાતા પ્રશ્નો

રિવર્સ રેપો રેટ આરબીઆઇની નાણાકીય પૉલિસીમાં એક ટૂલ છે જે દેશના રોકડ પુરવઠાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. રિવર્સ રેપો રેટ તે દરને નિયંત્રિત કરે છે જેના પર સેન્ટ્રલ બેંક કોમર્શિયલ બેંકો પાસેથી પૈસા કર્જ પર લે છે. આરબીઆઇ મુજબ વર્તમાન રિવર્સ રેપો રેટ 3.35% છે

જ્યારે આરબીઆઇ રેપો રેટ ઘટાડે છે, ત્યારે કોમર્શિયલ બેંકો ઓછા કર્જ ખર્ચનો આનંદ માણી શકે છે, અને તેનો લાભ ગ્રાહકોને પહોંચાડવામાં આવશે. પરિણામે, ઘર માલિકોના વ્યાજના દરમાં ઘટાડો થાય છે. આ જ રીતે, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને કર્જ લેવાના ખર્ચમાં પણ વધારો થાય છે, જેના પરિણામે હોમ લોન પરના વ્યાજ દરમાં વધારો થાય છે.

ભંડોળ આધારિત ધિરાણ દર અથવા એમસીએલઆરની માર્જિનલ કિંમત એ મિનિમમ ધિરાણ દર છે જેની નીચે બેંક ધિરાણ આપી શકતી નથી ભારતીય રિઝર્વ બેંકે લોન માટેના વ્યાજ દરો નિર્ધારિત કરવા માટે એપ્રિલ 1, 2016 ના રોજ એમસીએલઆર રજૂ કર્યું. તેણે મૂળ દર સિસ્ટમને બદલી દીધું જેનો ઉપયોગ અગાઉ વ્યવસાયિક બેંકના ધિરાણ દરોને નક્કી કરવા માટે કરવામાં આવ્યો હતો. મૂળભૂત રીતે, બેંકો લોન માટે વસૂલ કરી શકે તેવા મહત્તમ વ્યાજ દરને નક્કી કરતા પહેલાં MCLR ને ધ્યાનમાં લે છે

રેપો રેટ:

રેપો રેટ શબ્દનો અર્થ છે રી-પર્ચેજિંગ ઓપ્શન રેટ અથવા રી-પર્ચેજિંગ એગ્રીમેન્ટ રેટ. અન્ય કર્જદારની જેમ, બેન્કિંગ સંસ્થાઓએ પણ તેઓ સેન્ટ્રલ બેંક પાસેથી કર્જ લીધેલા પૈસા પર વ્યાજ ચૂકવવાનું હોય છે, અને તેઓ તેમની રોકડ પ્રવાહની અછતને પહોંચી વળવા રાતોરાત લોન મેળવવાના બદલામાં સોના અથવા ટ્રેઝરી બિલ જેવી તેમની સિક્યોરિટીઝ આરબીઆઇને ગીરવે મૂકીને આમ કરશે. રેપો રેટનો ઉપયોગ અર્થતંત્રમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે પણ કરવામાં આવે છે.

રિવર્સ રેપો રેટ:

આર્થિક સંસ્થાઓ પાસેથી પૈસા કર્જ પર લેતી વખતે આરબીઆઇએ જે વ્યાજ ચૂકવવું પડે છે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. રિવર્સ રેપો રેટ ફુગાવાને ઘટાડવા માટે માર્કેટમાં લિક્વિડિટીને નિયંત્રિત કરે છે. ઉચ્ચ વ્યાજ દરને કારણે, બેંકો આરબીઆઇને પૈસા આપશે તેની સંભાવના વધુ છે, જે માર્કેટની અતિરિક્ત લિક્વિડિટી ઘટાડવામાં મદદ કરે છે.

પ્રકાર દર
રેપો રેટ 6.50%*
રિવર્સ રેપો રેટ 3.35%

ઉચ્ચ રેપો રેટ બેન્કિંગ સંસ્થાઓ માટે આરબીઆઇમાંથી પૈસા કર્જ પર લેવાનું વધુ ખર્ચાળ બનાવે છે, જે માર્કેટની લિક્વિડિટી ઘટાડે છે અને ફુગાવાને નિયંત્રિત કરે છે.

જોકે બંને રેટ આરબીઆઈ દ્વારા લોન આપવા અને બજારમાં રોકડ પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ટૂંકા ગાળાના સાધનો છે, પરંતુ તેમની વચ્ચે કેટલાક તફાવત છે. અહીં બેંક રેટ અને રેપો રેટ વચ્ચેનો તફાવત છે.

  1. કેન્દ્રિય બેંક દ્વારા કોમર્શિયલ બેંકોને તાત્કાલિક લિક્વિડિટીની કટોકટીમાં મદદ કરવા માટે આપવામાં આવતી ટૂંકા ગાળાની લોન બેંકના દરો પર આધારિત હોય છે જ્યારે લાંબા ગાળાની લોન રેપો રેટ પર આધારિત હોય છે.

  2. કોમર્શિયલ બેંકોને અપાતી લોન માટે કેન્દ્રિય બેંક દ્વારા બેંકના દર લેવામાં આવે છે, જ્યારે કેન્દ્રિય બેંકને વેચવામાં આવતી સિક્યોરિટીઝના રીપરચેજ માટે કોમર્શિયલ બેંકો દ્વારા રેપો રેટ વસૂલવામાં આવે છે.

  3. બેંકના દરો કોલેટરલ વગર ઑફર કરવામાં આવે છે જ્યારે કોમર્શિયલ બેંકો રેપો રેટ માટે સિક્યોરિટીઝને કોલેટરલ તરીકે ગિરવે રાખે છે.

જ્યારે કેન્દ્રિય બેંક ફુગાવાને નિયંત્રિત કરવાનો અથવા બેંકોની લિક્વિડિટી વધારવાનો ઇરાદો ધરાવે છે ત્યારે રેપો રેટમાં વધારો થાય છે.. આરબીઆઇને જ્યારે કિંમતો નિયંત્રિત કરવાની અને ઉધારને પ્રતિબંધિત કરવાની જરૂર પડે છે ત્યારે રેપો રેટમાં વધારો કરે છે.

રેપો રેટમાં વધારાની સીધી અસર હોમ લોન પરના વ્યાજના દરમાં વધારો છે કારણ કે બંને સીધા જોડાયેલા છે.. રેપો રેટમાં વધારો એટલે કે કોમર્શિયલ બેંકોને કેન્દ્રિય બેંકને વધુ વ્યાજની ચુકવણી કરવી પડશે જ્યાંથી તેઓ પોતાના પૈસા ઉધાર લે છે અને તેથી, આખરે, તે હોમ લોનને અસર કરે છે જેના કારણે ઇએમઆઇ અને/અથવા લોનનો સમયગાળો વધે છે.

repo_rate_relatedarticles_wc

રેપો_રેટ_pac_wc

આ પણ જુઓ

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

પીએએમ-ઇટીબી વેબ કન્ટેન્ટ

પ્રી-અપ્રૂવ્ડ ઑફર

પૂરું નામ*

ફોન નંબર*

otp*

જનરેટ કરો
હમણાં ચેક કરો

call_and_missed_call

p1 commonohlexternallink_wc

Apply Online For Home Loan
ઑનલાઇન હોમ લોન

ઇન્સ્ટન્ટ હોમ લોનની મંજૂરી માત્ર

₹ 1,999 + જીએસટી*

₹5,999 + જીએસટી
*રિફન્ડને પાત્ર નથી

commonpreapprovedoffer_wc

પ્રી-અપ્રૂવ્ડ ઑફર