વર્તમાન રેપો રેટ: 2022_WC

banner-dynamic-scroll-cockpitmenu_homeloan

reporatemeaning-wc

ભારતમાં વર્તમાન રેપો રેટ - એપ્રિલ 2024

08 ફેબ્રુઆરી 2024 ના રોજ Reserve Bank of India (આરબીઆઈ) દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વર્તમાન રેપો રેટ 6.50%* છે, જે રેપો રેટને નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી) દ્વારા સર્વાનુમતે રીતે નક્કી કરવામાં આવે છે.

રિવર્સ રેપો રેટ 3.35% યથાવત રાખવામાં આવેલ છે. બેંકનો દર અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) રેટ બદલીને 6.75% સુધી કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% છે. પરંતુ વાસ્તવમાં રેપો રેટનો અર્થ શું છે?

meaning of repo rate_wc

​રેપો રેટનો અર્થ શું છે?

રેપો રેટનો અર્થ વધુ સારી રીતે સમજવા માટે, અહીં શબ્દોનું વિવરણ આપેલ છે. 'રેપો' શબ્દ 'રી-પર્ચેજિંગ વિકલ્પ' અથવા 'રી-પર્ચેજિંગ એગ્રીમેન્ટ' શબ્દથી પ્રાપ્ત કરવામાં આવ્યો છે’. રેપો રેટ એ રેટને દર્શાવે છે જેના પર કોમર્શિયલ બેંકો સુરક્ષા અને બોન્ડ કોલેટરલ સામે આરબીઆઇ પાસેથી પૈસા કર્જ લે છે. નામ સૂચવે છે તે મુજબ, મિલકતને પછીથી સર્વોચ્ચ બેંકમાંથી પૂર્વનિર્ધારિત કિંમતે ફરીથી ખરીદવામાં આવે છે. તેવી જ રીતે, જ્યારે આરબીઆઇ કોમર્શિયલ બેંકો પાસેથી કર્જ લે છે, ત્યારે વ્યાજ શુલ્ક રિવર્સ રેપો રેટ તરીકે ઓળખાય છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની નાણાકીય પૉલિસી અર્થતંત્રમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સ્ટેટયુટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર) અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) જેવા કેટલાક ટૂલનો ઉપયોગ કરીને રોકડ પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કોમર્શિયલ બેંકો ફંડના સંકટને પહોંચી વળવા માટે આરબીઆઇ પાસેથી કરજ લેવાનો આશરો લે છે, ટૂંકા ગાળાની લોન માંગે છે, કેટલીકવાર માત્ર 24 કલાકના સમયગાળામાં.

reporatework_wc

તાજેતરમાં અપડેટ થયેલ

હાલનો રેપો રેટ શું છે?

તાજેતરમાં, Reserve Bank of India એ 08 ફેબ્રુઆરી 2024 ના રોજ તેના દરોમાં સુધારો કર્યો હતો, જેના પછી કેટલાક ચોક્કસ દરો બદલાયા છે.

વ્યાજ દરનો પ્રકાર વર્તમાન દર અંતિમ અપડેટનો સમય
રેપો રેટ 6.50%* 08 ફેબ્રુઆરી 2024

નોંધ: માહિતી 08 ફેબ્રુઆરી 2024 ના પ્રેસ રિલીઝ મુજબ અપડેટ કરવામાં આવે છે.

આરબીઆઇ રેપો રેટ હિસ્ટ્રી_wc

આરબીઆઇ રેપો રેટ ઇતિહાસ: 2014 - 2024

નીચેનું ટેબલ આરબીઆઇ દ્વારા જાળવવામાં આવેલા તાજેતરના રેપો દરો બતાવે છે:

છેલ્લી અપડેટ રેપો રેટ
08-February-2024 6.50%*
08-December-2023 6.50%*
06-October-2023 6.50%*
10-August-2023 6.50%*
08-June-2023 6.50%*
08-Feb-2023 6.50%*
07-Dec-2022 6.25%*
30-Sep-2022 5.90%*
08-Jun-2022 4.90%*
13-May-2022 4.40%*
04-Dec-2020 4%*
09-Oct-2020 4%*
06-Aug-2020 4%*
22-May-2020 4%*
27-Mar-2020 4.40%*
06-Feb-2020 5.15%*
05-Dec-2019 5.15%*
10-Oct-2019 5.15%*
07-Aug-2019 5.40%*
06-June-2019 5.75%*
04-Apr-2019 6.00%*
07-Feb-2019 6.25%*
01-Aug-2018 6.50%*
06-June-2018 6.25%*
02-Aug-2017 6.00%*
04-Oct-2016 6.25%*
05-Apr-2016 6.50%*
29-Sept-2015 6.75%*
02-June-2015 7.25%*
04-Mar-2015 7.50%*
15-Jan-2015 7.75%*
28-Jan-2014 8.00%*

રેપો રેટ કેવી રીતે કામ કરે છે _wc

રેપો રેટ કેવી રીતે કામ કરે છે?

રેપો રેટ અથવા રીપર્ચેઝ રેટ એ વ્યાજ દર છે જેના પર સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) લિક્વિડિટી જાળવવા અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે ટૂંકા ગાળાની ફંડની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કમર્શિયલ બેંકોને પૈસા આપે છે. ઉચ્ચ ફુગાવા દરમિયાન, આરબીઆઇ રેપો રેટને વધારે છે, જેથી બિઝનેસ દ્વારા કરજ લેવાનું ધીમું થાય છે જે અર્થતંત્રમાં ઇન્વેસ્ટમેન્ટની પ્રવૃત્તિઓને ધીમી કરે છે અને માર્કેટમાં પૈસાની સપ્લાયને ઘટાડે છે.. ફુગાવા ઉપરાંત, જ્યારે દેશમાં કરન્સીના અવમૂલ્યનનું જોખમ હોય ત્યારે તમે રેપો રેટમાં વધારો જોઈ શકો છો.. વૈકલ્પિક રીતે, ઉચ્ચ મંદી દરમિયાન, લોન લેવાને પ્રોત્સાહિત કરવા અને બજારમાં ભંડોળના પ્રવાહમાં વધારો કરવા માટે રેપો દરો ઘટાડવામાં આવે છે. ફેબ્રુઆરી 2024 સુધીનો વર્તમાન રેપો રેટ 6.50% છે*.

રેપો રેટની અસર_wc

અર્થતંત્ર પર રેપો રેટની અસર શું છે?

રેપો રેટ અસરકારક રીતે અર્થતંત્રમાં લિક્વિડિટીના વોલ્યૂમને નિર્ધારિત કરે છે. રેપો રેટમાં વધારાથી ધિરાણકર્તાઓને વધુ ખર્ચ થશે - જેની અસર નિયમિત કર્જદારો પર પડે છે. જ્યારે આરબીઆઇ અર્થતંત્રમાં રોકડ પ્રવાહને વેગ આપવા માંગે છે, ત્યારે રેપો રેટમાં ઘટાડો થવાની સંભાવના છે જેથી ઉધાર અને રોકડ ખર્ચને પ્રોત્સાહિત કરી શકાય. રેપો રેટ અર્થતંત્રને નીચેની રીતે અસર કરે છે:

  1. ફુગાવાનો સામનો: રેપો રેટ અને ફુગાવાને વ્યુત્ક્રમ સંબંધ છે; દરમાં વધારો અર્થતંત્રમાં રોકડનો મર્યાદિત પ્રવાહને સુનિશ્ચિત કરે છે, જે ફુગાવામાં વધારો નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે.
  2. લિક્વિડિટી વધારે છે: બીજી તરફ, જ્યારે અર્થતંત્રમાં રોકડ લિક્વિડિટીની તીવ્ર જરૂરિયાત હોય છે, ત્યારે રેપો રેટમાં ઘટાડો કર્જ અને રોકાણના સસ્તા ખર્ચને વધારવામાં મદદ કરે છે.

રેપો રેટ હોમ લોનને કેવી રીતે અસર કરે છે?

રેપો રેટ હોમ લોનને કેવી રીતે અસર કરે છે?

08 ફેબ્રુઆરી 2024 ના રોજ Reserve Bank of India દ્વારા રેપો રેટ સુધારા હોમ લોન પર ચોક્કસ અસર કરે છે. હોમ લોન પર રેપો રેટની અસરોનું લિસ્ટ નીચેની આપેલ છે:

  1. ઇએમઆઇ: રેપો રેટમાં વધારાને કારણે હોમ લોનના વ્યાજ દરો પર અસર થઈ શકે છે. આનાથી ઇએમઆઇમાં વધારો થઈ શકે છે જેના કારણે, કરજદારોને ઉચ્ચ માસિક હપ્તા ચૂકવવો પડશે જો કે, જો રેપો દર ઘટી જાય, તો હોમ લોનનો વ્યાજ દર પણ ઘટી શકે છે રેપો દરમાં ઘટાડો કરજદાર દ્વારા ચૂકવવામાં આવતા માસિક હપ્તાને ઘટાડશે.
  2. વ્યાજ દર: રેપો દરમાં વધારો હોમ લોનના વ્યાજ દરમાં વધારો કરી શકે છે, જેનો અર્થ એ છે કે કરજદારોને તેમની હોમ લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડશે તેનાથી વિપરીત, જો રેપો દર ઘટે છે, તો હોમ લોનનો વ્યાજ દર ઘટી શકે છે, જે કિસ્સામાં, કરજદારોને ઓછા વ્યાજ દર ચૂકવવો પડશે.
  3. લોનની પાત્રતા: રેપો રેટમાં વધારા સાથે, કરજદારો જે લોન માટે પાત્ર છે, તે ઘટી શકે છે. જો કે, જો રેપો દરો ઘટાડવામાં આવે છે, તો કરજદારોને તેઓ માટે પાત્ર લોનની રકમ મળી શકે છે.
  4. લોનની શક્યતા: હોમ લોનની શક્યતા રેપો રેટ પર આધારિત છે. રેપો રેટમાં વધારા સાથે, હોમ લોન મેળવવી ઓછું સુવિધાજનક બની શકે છે. બીજી તરફ, જો રેપો રેટ ઘટે છે, તો હોમ લોન મેળવવાની શક્યતા વધી શકે છે.

વ્યક્તિઓ પર રેપો રેટ વધવાની અસર_wc

રેપો રેટમાં થતા વધારાની વ્યક્તિઓ પર થતી અસર

  • સેવિંગ પર અસર - જયારે રેપો રેટ વધે છે, ત્યારે સેવિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવતા વ્યક્તિઓ ઊંચા દરો અને વધુ રિટર્નનો આનંદ માણે છે.
  • કર્જ લેવા પર અસર - વર્તમાન રેપો રેટમાં વધારો થવાથી ધિરાણ દરોમાં વધારો થશે તેથી કર્જ લેવામાં ઘટાડો થશે.
  • મૉરગેજ રેટ પર અસર - રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે વ્યાજના ફ્લોટિંગ રેટ સાથેની તમામ હાલની હોમ લોન મોંઘી થઈ શકે છે, કારણ કે બેંકો આ વધારો ગ્રાહકો પર નાખવાનો નિર્ણય લઈ શકે છે. આ અનિવાર્યપણે ખરીદદારો માટે હોમ લોન પર સમાન માસિક હપ્તા (ઇએમઆઇ)માં વધારા તરફ દોરી જશે.

રેપો રેટ લિંક્ડ હોમ લોન_wc

રેપો રેટ સાથે લિંક હોમ લોન શું છે?

જ્યારે કર્જદારો તેમના હોમ લોનના વ્યાજ દરોને આરબીઆઇ રેપો રેટ સાથે લિંક કરે છે, ત્યારે તેઓ તેમના વ્યાજ દરને ધિરાણકર્તાના બાહ્ય બેંચમાર્ક સાથે લિંક કરે છે. અહીં હોમ લોનના બે ઘટકો રેપો રેટ સાથે જોડાયેલા છે: 

  • રેપો રેટ: કર્જદારો આરબીઆઇ રેપો રેટ સાથે તેમની હોમ લોનને લિંક કરી શકે છે, જે હાલમાં 6.50% પર છે*. તે કર્જદારોને પારદર્શિતાનો પુરાવો આપે છે, તેમને તેમના હાઉસિંગ લોનના વ્યાજ દરમાં કોઈપણ વધારો અથવા ઘટાડો કરનાર પરિબળોમાંથી એકની દેખરેખ રાખવાની સુવિધા આપે છે.
  • સ્પ્રેડ: આ અતિરિક્ત માર્જિન ધિરાણકર્તા શુલ્ક છે જે અંતિમ હોમ લોન વ્યાજ દર નિર્ધારિત કરવા માટે રેપો રેટ પર વસૂલવામાં આવે છે. જ્યારે રેપો રેટ રાષ્ટ્રીય લેવલે ફિક્સ્ડ કરવામાં આવે છે, ત્યારે તમારી હોમ લોન એપ્લિકેશન સાથે જોડાયેલા જોખમના પરિબળોને ધ્યાનમાં રાખીને વ્યક્તિની પ્રોફાઇલના આધારે સ્પ્રેડ નિર્ધારિત કરવામાં આવે છે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પાત્ર અરજદારોને આકર્ષક રેપો રેટ સાથે લિંક હોમ લોન પ્રદાન કરે છે. અમારી આકર્ષક ધિરાણ શરતોથી લાભ મેળવવા માટે આજે જ અપ્લાઇ કરો. 

*શરતો લાગુ. 

​રેપો રેટ વર્સેસ બેંક રેટ

​રેપો રેટ વર્સેસ બેંક રેટ

​​​વ્યવસાયિક અને કેન્દ્રીય બેંકો ધિરાણ અને ઉધારની ગણતરી કરવા માટે રેપો દર અને બેંક દરનો ઉપયોગ કરે છે. આ દરોનો ઉપયોગ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા બેંકો અથવા અન્ય નાણાંકીય સંસ્થાઓને ભંડોળ આપવા અને બજારમાં રોકડ પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે

ચાલો રેપો રેટ અને બેંક દર વચ્ચેના વિશિષ્ટ પરિબળોને સમજીએ. રેપો રેટ એ વ્યાજ દર છે જે આરબીઆઇ બેંકો પાસેથી વસૂલ કરે છે જ્યારે તેઓ ભંડોળ ઉધાર લેવા માંગે છે, સરકારી સિક્યોરિટીઝ ગીરવે મૂકે છે. બીજી તરફ, બેંક દર એ વ્યાજનો દર છે જેના પર આરબીઆઈ કોઈપણ સિક્યોરિટીઝ પ્લેજ કર્યા વિના બેંકોને પૈસા આપે છે. રેપો રેટ અને બેંક દર વચ્ચેના તફાવતો જાણવા માટે વધુ વાંચો.

  • રેપો રેટ: આ દર સામાન્ય રીતે બેંક દર કરતાં ઓછો હોય છે કારણ કે ધિરાણકર્તાઓ અને અન્ય નાણાંકીય સંસ્થાઓ લોન સામે સરકારી સિક્યોરિટીઝ ગીરવે મૂકે છે. લોન પરના રેપો રેટની અસર બેંક રેટ કરતાં ઓછી મહત્વપૂર્ણ છે, જો કે, તે ઉધાર લેવાની પ્રવૃત્તિને અસર કરી શકે છે. આરબીઆઈ વ્યવસાયિક બેંકોની ટૂંકા ગાળાની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે.
  • બેંકનો દર: અહીં, બેંકો RBI તરફથી ઉધાર લેવામાં આવતા ભંડોળ સામે કોઈ સિક્યોરિટીઝ ગીરવે મૂકતા નથી. તેથી બેંકનો દર રેપો રેટ કરતાં વધુ છે. જ્યારે આરબીઆઇ બેંક દરો વધારે છે, ત્યારે બેંકો લોન પર વસૂલવામાં આવતા વ્યાજનો દર વધારે છે, જે કરજદારો માટે લોન ખર્ચાળ બનાવે છે. આરબીઆઇ દેશના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે બેંક દરોનો ઉપયોગ કરે છે.

રેપો રેટ વર્સેસ રિવર્સ રેપો રેટ

રેપો રેટ વર્સેસ રિવર્સ રેપો રેટ

રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ સરકારી સિક્યોરિટીઝ સામે વ્યવસાયિક બેંકોને ભંડોળ આપે છે, ત્યારે રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર કેન્દ્રીય બેંક વ્યવસાયિક બેંકો પાસેથી ભંડોળ ઉધાર લે છે. આરબીઆઈ વ્યવસાયિક બેંકોને સ્વૈચ્છિક રીતે પોતાના ભંડોળને અનુકૂળ વ્યાજ દરે જમા કરવા માટે ટૂંકા ગાળા માટે બેંકો સાથે સિક્યોરિટીઝ પ્લેજ કરે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેના મુખ્ય તફાવતો અહીં છે:

  • ​​રેપો રેટનો ઉપયોગ ધિરાણ પ્રવૃત્તિનું સંચાલન કરીને બજારમાં રોકડ પ્રવાહ અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. વૈકલ્પિક રીતે, રિવર્સ રેપો રેટનો ઉપયોગ અર્થવ્યવસ્થાની લિક્વિડિટીને નિયંત્રિત કરવા અને નાણાંકીય સિસ્ટમ્સને સ્થિર બનાવવા માટે કરવામાં આવે છે.
  • જ્યારે રેપો રેટ એ નાણાંકીય પૉલિસી છે જેનો ઉપયોગ રોકડની સપ્લાયને ઘટાડીને ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે, ત્યારે રિવર્સ રેપો રેટનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા અને નાણાંકીય સિસ્ટમને જાળવવા માટે કરવામાં આવે છે.
  • રેપો રેટ માટે વ્યાજનો દર રિવર્સ રેપો રેટ કરતાં વધુ હોય છે
  • ​રેપો રેટ લોન અથવા રોકાણ પ્રવૃત્તિઓને અસર કરી શકે છે. તે શેરબજારની કામગીરીને પણ અસર કરી શકે છે. રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળાના ધિરાણ અથવા કરજ અને બજારની સ્થિતિઓને અસર કરી શકે છે

repo_faqs_wc

વારંવાર પૂછાતા પ્રશ્નો

રિવર્સ રેપો રેટ આરબીઆઇની નાણાકીય પૉલિસીમાં એક ટૂલ છે જે દેશના રોકડ પુરવઠાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.. રિવર્સ રેપો રેટ તે દરને નિયંત્રિત કરે છે જેના પર સેન્ટ્રલ બેંક વ્યવસાયિક બેંકો પાસેથી ભંડોળ ઉધાર લે છે. આરબીઆઇ મુજબ વર્તમાન રિવર્સ રેપો રેટ 3.35% છે

જ્યારે આરબીઆઇ રેપો રેટ ઘટાડે છે, ત્યારે કોમર્શિયલ બેંકો ઓછા કર્જ ખર્ચનો આનંદ માણી શકે છે, અને તેનો લાભ ગ્રાહકોને પહોંચાડવામાં આવશે. પરિણામે, ઘર માલિકોના વ્યાજના દરમાં ઘટાડો થાય છે. આ જ રીતે, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને કર્જ લેવાના ખર્ચમાં પણ વધારો થાય છે, જેના પરિણામે હોમ લોન પરના વ્યાજ દરમાં વધારો થાય છે.

​​ભંડોળ આધારિત ધિરાણ દર અથવા એમસીએલઆરની માર્જિનલ કિંમત એ મિનિમમ ધિરાણ દર છે જેની નીચે બેંક ધિરાણ આપી શકતી નથી ભારતીય રિઝર્વ બેંકે લોન માટેના વ્યાજ દરો નિર્ધારિત કરવા માટે એપ્રિલ 1, 2016 ના રોજ એમસીએલઆર રજૂ કર્યું. તેણે મૂળ દર સિસ્ટમને બદલી દીધું જેનો ઉપયોગ અગાઉ વ્યવસાયિક બેંકના ધિરાણ દરોને નક્કી કરવા માટે કરવામાં આવ્યો હતો. મૂળભૂત રીતે, બેંકો લોન માટે વસૂલ કરી શકે તેવા મહત્તમ વ્યાજ દરને નક્કી કરતા પહેલાં mclr ને ધ્યાનમાં લે છે.

રેપો રેટ:

રેપો રેટ શબ્દનો અર્થ છે રિ-પર્ચેજિંગ ઓપ્શન રેટ અથવા રિ-પર્ચેજિંગ એગ્રીમેન્ટ રેટ. અન્ય કરજદારની જેમ, બેંકિંગ સંસ્થાઓએ પણ કેન્દ્રીય બેંકમાંથી ઉધાર લેનારા ભંડોળ પર વ્યાજની ચુકવણી કરવી જરૂરી છે, અને તેઓ તેમના રોકડ પ્રવાહની અછતને નિયંત્રિત કરવા માટે રાતોરાત લોન મેળવવા માટે આરબીઆઇને તેમના સિક્યોરિટીઝ જેવી કે સોના અથવા ટ્રેઝરી બિલને ગીરવે મૂકીને આમ કરશે. રેપો રેટનો ઉપયોગ અર્થતંત્રમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે પણ કરવામાં આવે છે.

રિવર્સ રેપો રેટ:

નાણાકીય સંસ્થાઓ પાસેથી ભંડોળ ઉધાર લેતી વખતે આરબીઆઇએ જે વ્યાજની ચુકવણી કરવી આવશ્યક છે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. રિવર્સ રેપો રેટ ફુગાવાને ઘટાડવા માટે માર્કેટમાં લિક્વિડિટીને નિયંત્રિત કરે છે.. ઊંચા વ્યાજ દર સાથે, બેંકો આરબીઆઇને ભંડોળ આપવાની સંભાવના વધુ છે, જે બજારની અતિરિક્ત લિક્વિડિટી ઘટાડવામાં મદદ કરે છે.

પ્રકાર દર
રેપો રેટ 6.50%*
રિવર્સ રેપો રેટ 3.35%

ઉચ્ચ રેપો દરો બેંકિંગ સંસ્થાઓ માટે આરબીઆઇ પાસેથી ભંડોળ ઉધાર લેવાનું વધુ ખર્ચાળ બનાવે છે, જે બજારની લિક્વિડિટી ઘટાડે છે અને ફુગાવાને નિયંત્રિત કરે છે.

જોકે બંને દરો આરબીઆઈ દ્વારા લોન આપવા અને બજારમાં રોકડ પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ટૂંકા ગાળાના સાધનો છે, પરંતુ રેપો દર એ વ્યાજ દર છે જે આરબીઆઈ વ્યવસાયિક બેંકોને ધિરાણ આપે છે જ્યારે તેઓ સરકારી સિક્યોરિટીઝ સામે ભંડોળ ઉધાર લેવા માંગે છે. બીજી તરફ, બેંક દર એ વ્યાજનો દર છે જેના પર આરબીઆઈ કોઈપણ સિક્યોરિટીઝ પ્લેજ કર્યા વિના બેંકોને પૈસા આપે છે.

જ્યારે કેન્દ્રિય બેંક ફુગાવાને નિયંત્રિત કરવાનો અથવા બેંકોની લિક્વિડિટી વધારવાનો ઇરાદો ધરાવે છે ત્યારે રેપો રેટમાં વધારો થાય છે.. આરબીઆઇને જ્યારે કિંમતો નિયંત્રિત કરવાની અને ઉધારને પ્રતિબંધિત કરવાની જરૂર પડે છે ત્યારે રેપો રેટમાં વધારો કરે છે.

રેપો રેટમાં વધારાની સીધી અસર હોમ લોન પરના વ્યાજના દરમાં વધારો છે કારણ કે બંને સીધા જોડાયેલા છે.. રેપો રેટમાં વધારો એટલે કે કોમર્શિયલ બેંકોને કેન્દ્રિય બેંકને વધુ વ્યાજની ચુકવણી કરવી પડશે જ્યાંથી તેઓ પોતાના પૈસા ઉધાર લે છે અને તેથી, આખરે, તે હોમ લોનને અસર કરે છે જેના કારણે ઇએમઆઇ અને/અથવા લોનનો સમયગાળો વધે છે.

repo_rate_relatedarticles_wc

રેપો_રેટ_pac_wc

આ પણ જુઓ

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

પીએએમ-ઇટીબી વેબ કન્ટેન્ટ

પ્રી-અપ્રૂવ્ડ ઑફર

પૂરું નામ*

ફોન નંબર*

otp*

જનરેટ કરો
હમણાં ચેક કરો

call_and_missed_call

p1 commonohlexternallink_wc

Apply Online For Home Loan
ઑનલાઇન હોમ લોન

ઇન્સ્ટન્ટ હોમ લોનની મંજૂરી માત્ર

₹ 1,999 + જીએસટી*

₹5,999 + જીએસટી
*રિફન્ડને પાત્ર નથી

CommonPreApprovedOffer_WC

પ્રી-અપ્રૂવ્ડ ઑફર