બોર્ડ ઑફ ડિરેક્ટર

સંજીવ બજાજ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ચેરમેન અને બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જે ભારતના સૌથી જૂના અને સૌથી મોટા સમૂહોમાંથી એક, બજાજ ગ્રુપના ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસની હોલ્ડિંગ કંપની છે, જે નાણાંકીય વર્ષ 2023-24 માટે ₹1,10,383 કરોડ ($13.30 અબજ) થી વધુની એકીકૃત આવક અને ₹8,148 કરોડ ($982 મિલિયન) થી વધુ ટૅક્સ પછી એકીકૃત નફો ધરાવે છે.

રાજીવ જૈન, (06 સપ્ટેમ્બર 1970 ના રોજ જન્મ), અમારી કંપનીના વાઇસ ચેરમેન અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર છે. રાજીવે બજાજ ફાઇનાન્સ કંપનીના મહત્વાકાંક્ષી વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. કંપની પોતાના બિઝનેસમાં બદલાવના પંથે છે અને કેપ્ટિવ ફાઇનાન્સ કંપનીથી લઈને આજે ભારતમાં સૌથી વધુ વૈવિધ્યસભર નૉન-બેંક સુધીનો આત્યંતિક વિકાસ કર્યો છે.

અતુલ જૈનની 1 મે 2022 ના રોજ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એપ્રિલ 2018 માં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (બીએચએફએલ) ના સીઇઓ તરીકે સ્થળાંતર કરતા પહેલા તેઓ 16 વર્ષથી વધુ સમય સુધી બજાજ ફાઇનાન્સ લિમિટેડ (બીએફએલ) સાથે હતા. તેમણે છેલ્લાં 4 વર્ષોમાં જોખમ વિમુક્ત અભિગમ સાથે સંસ્થાના બહુવિધ સંપત્તિ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને છેલ્લાં બે વર્ષોમાં સંકટમાંથી સરળતાથી બહાર નીકળવામાં મુખ્ય ઇન્ડસ્ટ્રીને મદદ કરી છે.

ડૉ. અરિંદમ કુમાર ભટ્ટાચાર્ય, સ્વતંત્ર ડિરેક્ટર, રોકાણકાર, અને બીસીજી ના વરિષ્ઠ સલાહકાર જ્યાંથી તેઓ વરિષ્ઠ ભાગીદાર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. બીસીજીમાં નેતૃત્વકક્ષાએ તેમણે ઘણી મહત્વની ભૂમિકાઓ નિભાવી હતી અને બીસીજીની નેતૃત્વ માટેની માનસ સંસ્થા બ્રૂસ હેન્ડરસન ઇન્સ્ટિટ્યૂટના સહ-અગ્રણી અને સંસ્થાપક રહી ચૂક્યા છે. તેમણે લગભગ છ વર્ષથી દેશમાં બીસીજીની કામગીરીઓનું નેતૃત્વ કર્યું. તેઓ ગ્લોબલ એડવાન્ટેજ પ્રેક્ટિસની ગ્લોબલ લીડરશીપ ટીમના સભ્ય હતા અને અગાઉ ઇન્ડસ્ટ્રિયલ ગોલ, પબ્લિક સેક્ટર અને સોશિઅલ ઇંપેક્ટ પ્રેક્ટિસની ગ્લોબલ લીડરશીપ ટીમના સભ્ય હતા તેમજ બીસીજીની ગ્લોબલ એડવાન્ટેજ પ્રેક્ટિસના સ્થાપક અને કો-લીડર હતા. બીસીજી ફેલો તરીકે તેમણે વૈશ્વિકરણ પર તેમના સંશોધનને કેન્દ્રિત કર્યું છે અને તેમણે બે પુસ્તકો પણ લખ્યાં છે - કોમ્પિટીંગ વિથ એવરીવન ફ્રોમ એવરીથિંગ ફોર એવરીથિંગ અને બિયોન્ડ ગ્રેટ – નાઈન સ્ટ્રેટેજીઝ ફોર થ્રીવિંગ ઇન એન એરા ઓફ સોશિયલ ટેન્શન, ઈકોનોમિક નેશનલિઝમ એન્ડ ટેક્નોલોજીકલ રિવોલ્યુશન અને આ વિષય પર સંખ્યાબંધ લેખ લખ્યા છે.

15 મે 1950 ના રોજ જન્મેલા અનામી નારાયણ રોય, અમારી કંપનીના બિન-કાર્યકારી અને સ્વતંત્ર ડિરેક્ટર છે. તેઓ ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક છે, જેમણે મહારાષ્ટ્રમાં ભારતીય પોલીસ સેવામાં અને ભારત સરકાર સાથે 38 વર્ષથી વધુ સમયથી સેવા આપી છે. તેમણે મહારાષ્ટ્રમાં અને કેન્દ્ર સરકાર બંનેમાં પોલીસ, ઔરંગાબાદ, પુણે અને મુંબઈના કમિશનર સહિત વિવિધ અસાઇનમેન્ટ કર્યા હતા અને મહારાષ્ટ્રના પોલીસના ડિરેક્ટર જનરલ તરીકે નિવૃત્ત થયા હતા.

શ્રીમતી જેસ્મિન ચેની સિડેન્હમ કૉલેજ તરફથી કોમર્સ ગ્રેજ્યુએટ છે અને સોમૈયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, મુંબઈ યુનિવર્સિટી તરફથી ફાઇનાન્સમાં મેનેજમેન્ટ સ્ટડીઝમાં માસ્ટર્સ છે. તેમની પાસે લગભગ ત્રણ દશકોનો કાર્ય અનુભવ ક્રિસિલ લિમિટેડ (હવે ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ) સાથે છે, જે મેનેજમેન્ટ ભૂમિકાઓમાં કામ કરે છે.
બોર્ડ ઑફ ડિરેક્ટર

સંજીવ બજાજ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ચેરમેન અને બજાજ ફિનસર્વ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જે ભારતના સૌથી જૂના અને સૌથી મોટા સમૂહોમાંથી એક, બજાજ ગ્રુપના ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસની હોલ્ડિંગ કંપની છે, જે નાણાંકીય વર્ષ 2023-24 માટે ₹1,10,383 કરોડ ($13.30 અબજ) થી વધુની એકીકૃત આવક અને ₹8,148 કરોડ ($982 મિલિયન) થી વધુ ટૅક્સ પછી એકીકૃત નફો ધરાવે છે.
તેમના નેતૃત્વ હેઠળ, બજાજ ફિનસર્વ લિમિટેડ ધિરાણ, લાઇફ ઇન્શ્યોરન્સ, જનરલ ઇન્શ્યોરન્સ અને રોકાણો ઉકેલો સાથે ભારતની અગ્રણી વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીઓમાંની એક તરીકે ઉભરી આવી છે. ગ્રાહક-પ્રથમ, ડિજિટલ અભિગમ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત સંસ્કૃતિ સાથે, તેમણે ભારતમાં ડિજિટલ કન્ઝ્યુમર ફાઇનાન્સિંગને એક નવો જ આકાર આપ્યો છે.
તેમના નેતૃત્વ હેઠળ, બજાજ ફિનસર્વ લિમિટેડ ધિરાણ, લાઇફ ઇન્શ્યોરન્સ, જનરલ ઇન્શ્યોરન્સ અને રોકાણો ઉકેલો સાથે ભારતની અગ્રણી વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીઓમાંની એક તરીકે ઉભરી આવી છે. ગ્રાહક-પ્રથમ, ડિજિટલ અભિગમ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત સંસ્કૃતિ સાથે, તેમણે ભારતમાં ડિજિટલ કન્ઝ્યુમર ફાઇનાન્સિંગને એક નવો જ આકાર આપ્યો છે.
સંજીવ, નાણાંકીય વર્ષ 2022-23 ના કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ના પ્રમુખ હતા. તેઓ ભારતની G20 રાષ્ટ્રપતિ નાણાંકીય વર્ષ 2022-23 ના ભાગ રૂપે B20 માટે ભારત સરકાર દ્વારા નિયુક્ત સ્ટિયરિંગ સમિતિના સભ્ય હતા.
સંજીવ યુએસએની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી છે.. તેઓ ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (આઇએસબી)ના બોર્ડના મેમ્બર છે અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ભારત અને દક્ષિણ એશિયા માટે પ્રાદેશિક કારભારી બોર્ડ 2019-2020 ના મેમ્બર છે. વર્ષોથી, તેમને ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ઘણા પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયા છે, જેમાં શામેલ છે:
- લોકમત મહારાષ્ટ્રિયન ઑફ યર અવૉર્ડ 2025
- વર્ષ 2023 માટે એઆઇએમએ-જેઆરડી ટાટા કોર્પોરેટ લીડરશિપ અવૉર્ડ
- લક્ષ્મીપત સિંઘાનિયા આઇઆઇએમ લખનઊ નેશનલ લીડરશિપ અવૉર્ડ, 2023, ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રાપ્ત થયો
- એઆઇએમએના ટ્રાન્સફોર્મેશનલ બિઝનેસ લીડર 2023
- એઆઇએમએના ઑન્ટ્રપ્રનર ઓફ ધ યર 2019
- ઇકોનોમિક ટાઇમ્સ બિઝનેસ લીડર ઑફ ધ ઇયર 2018
- ફાઇનાન્શિયલ એક્સપ્રેસ બેન્કર ઑફ ધ યર 2017
- અર્નેસ્ટ એન્ડ યંગ ઑન્ટ્રપ્રનર ઓફ ધ યર 2017
- 2017 માં 5 મી એશિયા બિઝનેસ રિસ્પોન્સિબિલિટી સમિટમાં ટ્રાન્સફોર્મેશનલ લીડર એવોર્ડ
- વર્ષ 2015 અને 2016 માટે ભારતમાં બિઝનેસ વર્લ્ડના મોસ્ટ વૅલ્યુઅબલ સીઇઓ
સંજીવ પુણે યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે, યુકેના વૉરવિક યુનિવર્સિટીમાંથી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ એન્જિનિયરિંગમાં માસ્ટરની ડિગ્રી અને યુએસએના હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટરની ડિગ્રી ધરાવે છે. તેઓ તેમની પત્ની શેફાલી અને તેમના બે બાળકો સાથે પુણે, મહારાષ્ટ્રમાં રહે છે.
તેમની ડિરેક્ટરશિપ અને બૉડી કોર્પોરેટ્સમાં ફૂલ-ટાઇમ પોઝિશન્સ નીચે મુજબ છે:
- બજાજ ફિનસર્વ લિમિટેડ
- બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ
- મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડ
- બજાજ ફાઇનાન્સ લિમિટેડ
- બજાજ ઑટો લિમિટેડ
- બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ
- બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ
- બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ
- બજાજ ઑટો હોલ્ડિંગ્સ લિમિટેડ
- બછરાજ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ
- બછરાજ ફેક્ટરીઝ પ્રાઇવેટ લિમિટેડ
- બજાજ સેવાશ્રમ પ્રાઇવેટ લિમિટેડ
- કમલનયન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ
- રૂપા ઇક્વિટીઝ પ્રાઇવેટ લિમિટેડ
- સંત્રાજ નયન ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ
- જમનાલાલ સન્સ પ્રાઇવેટ લિમિટેડ
- રાહુલ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ
- મહાકલ્પ આરોગ્ય પ્રતિષ્ઠાન
- ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ
- ભૂપતિ શિક્ષણ પ્રતિષ્ઠાન
બોર્ડ ઑફ ડિરેક્ટર

રાજીવ 2007 માં બજાજ ફિનસર્વ ગ્રુપમાં બજાજ ફાઇનાન્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે જોડાયા અને 2015 માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા. તેમના નેતૃત્વએ બજાજ ફાઇનાન્સને કેપ્ટિવ સિંગલ-પ્રૉડક્ટ ઑટો ફાઇનાન્સ કંપનીમાંથી એક સર્વગ્રાહી અને ટેક્નોલોજી-સંચાલિત ઝડપી ફાઇનાન્શિયલ પાવરહાઉસમાં પરિવર્તિત થયું છે, જે ગ્રાહકો અને બિઝનેસને લોન ઉત્પાદનો, ચુકવણીઓ અને રોકાણોની સંપૂર્ણ શ્રેણી ઑફર કરે છે.
તેમની વ્યૂહાત્મક દિશા હેઠળ, બજાજ ફાઇનાન્સ લાખો નવા-થી-ક્રેડિટ ગ્રાહકોને ઔપચારિક ફાઇનાન્શિયલ સિસ્ટમમાં લાવ્યા છે, જે તેમને જીવનની રોજિંદા જરૂરિયાતો માટે ફાઇનાન્સ સાથે સશક્ત બનાવે છે. વિવિધ ઉપભોક્તા ધિરાણ બિઝનેસ, જેમ કે, ઑટો લોન, ડ્યુરેબલ લોન, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનું સંચાલન કરવામાં લગભગ 3 દાયકાનો ઉત્કૃષ્ટ અનુભવ ધરાવતા ઇન્ડસ્ટ્રીના અનુભવી, રાજીવે બજાજ ફાઇનાન્સ સાથે 18 વર્ષ ગાળ્યા છે, ટકાઉ બિઝનેસ આગળ ધપાવી રહ્યા છે અને હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવા માટે મોટા પાયે ડિજિટલ પરિવર્તન કર્યું છે.
પોતાના નવીન અને વિક્ષેપકારક વિચારો માટે જાણીતા અને પ્રશંસનીય, રાજીવ ઝડપથી બદલાતા ડિજિટલ ક્ષેત્રમાં ગ્રાહકોને ઝડપી ઉકેલો અને ઘર્ષણ રહિત અનુભવો પહોંચાડવા માટે ઉભરતી ડિજિટલ ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કર્યો છે.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના વાઇસ-ચેરમેન તરીકે, તેઓ તેના વ્યૂહાત્મક રોડમેપને નિર્ધારિત કરવા માટે મેનેજમેન્ટ ટીમને માર્ગદર્શન આપે છે. તેમની 1 એપ્રિલ 2025 થી બજાજ ફાઇનાન્સ લિમિટેડના વાઇસ-ચેરમેન અને બજાજ ફિનસર્વ લિમિટેડના નૉન-એક્ઝિક્યુટિવ અને નૉન-ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે.
બજાજ ફાઇનાન્સ પહેલાં, રાજીવે જીઇ, અમેરિકન એક્સપ્રેસ અને અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ (એઆઇજી) સાથે કામ કર્યું, જેમાં તેઓ વિવિધ વરિષ્ઠ નેતૃત્વની ભૂમિકાઓમાં સેવા આપી ચૂક્યા છે. એઆઇજીમાં ઉપભોક્તા ધિરાણ બિઝનેસના ડેપ્યુટી સીઇઓ તરીકે, રાજીવે ભારતમાં એઆઇજી ઉપભોક્તા બિઝનેસમાં આગળ વધવા માટે વ્યૂહાત્મક માળખું બનાવ્યું.
રાજીવ મણિપાલના ટી. એ પાઈ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે સાથે મદુરઈના અમેરિકન કૉલેજમાંથી કોમર્સમાં બૅચલરની ડિગ્રી ધરાવે છે.
તેમની ડિરેક્ટરશિપ અને બૉડી કોર્પોરેટ્સમાં ફૂલ-ટાઇમ પોઝિશન્સ નીચે મુજબ છે:
- બજાજ ફાઇનાન્સ લિમિટેડ
- બજાજ ફિનસર્વ લિમિટેડ
બોર્ડ ઑફ ડિરેક્ટર

તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં પોતાનું કરિયર શરૂ કર્યું અને પછી તે રિટેલ ફાઇનાન્સમાં ગયા. તેઓ અગાઉ એન્ટરપ્રાઇઝ રિસ્ક ઑફિસર તરીકે બજાજ ફાઇનાન્સ લિમિટેડ સાથે સંકળાયેલ હતા, જ્યાં તેઓ રિસ્ક અને ડેબ્ટ મેનેજમેન્ટમાં શામેલ હતા.
તેઓ નાણાંકીય ક્ષેત્રમાં 24 વર્ષથી વધુ કાર્ય અનુભવ સાથે મેનેજમેન્ટ સ્નાતક છે.
બોર્ડ ઑફ ડિરેક્ટર

ડૉ. અરિંદમ ભટ્ટાચાર્ય અમારી કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર છે. તેમની પાસે વ્યાપાર જગતમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે, તેઓ ઔદ્યોગિક સેક્ટર માટે કન્સલ્ટિંગમાં નિષ્ણાત છે. ડૉ. ભટ્ટાચાર્ય ભારતમાં બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (બીસીજી)ના મેનેજિંગ ડિરેક્ટર અને સિનિયર પાર્ટનર તરીકે નિવૃત્ત થયા.
ડૉ. ભટ્ટાચાર્યએ અગાઉ નેશનલ કાઉન્સિલ ઑફ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં સેવા આપી હતી અને તેની નેશનલ મેન્યુફેક્ચરિંગ કાઉન્સિલની સહ-અધ્યક્ષતા કરી હતી. તેઓ ઑક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ઑફ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, ઑક્સફોર્ડ યુનિવર્સિટી, ધ સ્કૂલ ઑફ ગ્લોબલ પૉલિસી એન્ડ સ્ટ્રેટેજી, યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, સેન ડિએગો અને ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં મુંજાલ સ્કૂલ ફોર ગ્લોબલ મેન્યુફેક્ચરિંગના ઈન્ટરનેશનલ એડવાઇઝરી બોર્ડમાં છે. ભારતમાં સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય એનજીઓ. વિશ ફાઉન્ડેશન અને લેમન ટ્રી હોટલ બંનેના બોર્ડમાં તેઓ છે.
તેમણે ભારતમાં આઇશર ગ્રુપ સાથે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા આર્થિક અને સામાજિક ક્ષેત્રના વિષયો પર કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે બીસીજીની વધતી જતી સંલગ્નતાનું નેતૃત્વ પણ કર્યું હતું અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, સેવ ચિલ્ડ્રન, ગેટ્સ ફાઉન્ડેશન અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ સાથે પરામર્શ કરેલ છે.
ડૉ. ભટ્ટાચાર્ય એ આઇઆઇટી ખડગપુર, આઇઆઇએમ અમદાવાદમાંથી શિક્ષણ લીધું હતું. તેમણે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સમાં એમએસસી પૂર્ણ કર્યું અને યુકેની યુનિવર્સિટી ઑફ વૉરવિકમાંથી વૉરવિક મેન્યુફેક્ચરિંગ ગ્રુપમાંથી એન્જિનિયરિંગ ડૉક્ટરેટ પ્રાપ્ત કરેલ છે.
તેમની ડિરેક્ટરશિપ અને બૉડી કોર્પોરેટ્સમાં ફૂલ-ટાઇમ પોઝિશન્સ નીચે મુજબ છે:
- બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ
- ઇન્ફો એજ (ઇન્ડિયા) લિમિટેડ
- બજાજ ફાઇનાન્સ લિમિટેડ
- અરિંદમ એડવાઇઝરી સર્વિસેસ પ્રાઇવેટ લિમિટેડ
બોર્ડ ઑફ ડિરેક્ટર

શ્રી અનામી એન રૉય એક વિશિષ્ટ ભૂતપૂર્વ નાગરિક સેવક છે, જેમણે મહારાષ્ટ્ર અને ભારત સરકારમાં 38 વર્ષથી વધુ સમયથી ભારતીય પોલિસ સર્વિસમાં સેવા આપી છે. તેમણે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર હેઠળ વિવિધ પ્રકારના કાર્યભાર સંભાળ્યા, જેમાં ઔરંગાબાદ, પુણે અને મુંબઈના પોલીસ કમિશનરનો સમાવેશ થાય છે. તેમણે મહારાષ્ટ્રના પોલીસ મહાનિદેશક તરીકે નિવૃત્ત થયા હતા.
સેવા દરમિયાન, તેમણે ઇલાઇટ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની કામગીરીનું નેતૃત્વ કર્યું હતું, જે પ્રધાનમંત્રી, ભૂતપૂર્વ પીએમ અને તેમના પરિવારોની નજીકની સુરક્ષાની દેખરેખ રાખે છે. 'પીપલ્સ કમિશનર' તરીકે જાણીતા, તેમણે લોકોની સમસ્યાઓ અને અપેક્ષાઓને ઉકેલવા અને પૂર્ણ કરવા માટે ઘણી નાગરિક-મૈત્રીપૂર્ણ યોજનાઓ અને પ્રણાલીઓની સ્થાપના કરી જેમ કે નાગરિક સુવિધા કેન્દ્રો, મુંબઈ પોલીસ ઇન્ફોલાઇન, એલ્ડરલાઇન, સ્લમ પોલીસ પંચાયત, વગેરે.
શ્રી અનામી એન રૉયની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 2014 માં સંયુક્ત રાજ્ય આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલના સલાહકાર તરીકે કરવામાં આવી હતી, જ્યારે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ હતું. આ સમયગાળા દરમિયાન, તેમણે ગૃહ, ઉદ્યોગ અને ખાણકામ, આવાસ, સ્વાસ્થ્ય, તબીબી શિક્ષણ વગેરે સહિત રાજ્ય સરકારના 16 વિવિધ વિભાગોના મંત્રીની ભૂમિકા ભજવી હતી.
નિવૃત્તિ પછી, તેઓ સામાજિક/બિન-નફાકારક ક્ષેત્રમાં સંલગ્ન છે. તેઓ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની આજીવિકાને ટેકો આપવા માટે કંપની અધિનિયમ, 2013 ની કલમ 8 હેઠળ બિન-નફાકારક કંપની, વંદના ફાઉન્ડેશન ચલાવે છે.
તેઓ ઘણી જાણીતી કંપનીઓના બોર્ડમાં છે. તેઓ સલાહકાર તરીકે ઘણી અન્ય કંપનીઓમાં પણ સામેલ છે. તેઓ તેમની સાથે જાહેર સેવા અને રાજ્ય અને કેન્દ્રીય સ્તરે સરકારોના કાર્યનો વ્યાપક અને સમૃદ્ધ અનુભવ ધરાવે છે.
તેમની ડિરેક્ટરશિપ અને બૉડી કોર્પોરેટ્સમાં ફૂલ-ટાઇમ પોઝિશન્સ નીચે મુજબ છે:
- બજાજ ફિનસર્વ લિમિટેડ
- બજાજ ફાઇનાન્સ લિમિટેડ
- બજાજ ઑટો લિમિટેડ
- સીમેન્સ લિમિટેડ
- ગુડ હોસ્ટ સ્પેસીસ પ્રાઇવેટ લિમિટેડ
- વંદના ફાઉન્ડેશન
બોર્ડ ઑફ ડિરેક્ટર

શ્રીમતી જેસ્મિન ચેની, સિડેન્હમ કૉલેજમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ છે અને કે.જે. સોમૈયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, મુંબઈ યુનિવર્સિટીથી ફાઇનાન્સમાં મેનેજમેન્ટ સ્ટડીઝમાં માસ્ટર છે. તેમની પાસે લગભગ ત્રણ દશકોનો કાર્ય અનુભવ છે જે crisil limited (હવે crisil ratings limited) સાથે વિશ્લેષણાત્મક અને વ્યવસાય વિકાસ સાઇડ પર કામ કરે છે.
તેમની ડિરેક્ટરશિપ અને બૉડી કોર્પોરેટ્સમાં ફૂલ-ટાઇમ પોઝિશન્સ નીચે મુજબ છે:
- બજાજ ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ લિમિટેડ
- બજાજ ફિનસર્વ હેલ્થ લિમિટેડ
- મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડ
- બજાજ ફિનસર્વ ડાયરેક્ટ લિમિટેડ
- એલએફ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ
બોર્ડ ઑફ ડિરેક્ટર

એસ એમ નરસિમ્હા સ્વામી અમારી કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર છે. તેઓ શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટી, તિરુપતિમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી અને કોમર્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકર્સ (હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ તરીકે ઓળખાય છે) ("આઇઆઇબી") ની એસોસિએટ પરીક્ષા પાસ કરી છે અને આઇઆઇબીના પ્રમાણિત સહયોગી છે. તેઓ આરબીઆઈના ભૂતપૂર્વ પ્રાદેશિક નિયામક હતા જ્યાં તેમણે વ્યવસ્થાપકીય ભૂમિકાઓ અને 11 વર્ષ માટે દેખરેખ વિભાગ સહિત 33 વર્ષ સુધી વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી હતી. તેઓ 1990 માં ગ્રેડ 'B' (મેનેજર) માં સીધા ભરતી અધિકારી તરીકે આરબીઆઇમાં જોડાયા અને પ્રિન્સિપાલ ચીફ જનરલ મેનેજરના હોદ્દા પર પહોંચ્યા અને 2023 માં ચેન્નાઈ ઓફિસમાંથી પ્રાદેશિક નિયામક તરીકે નિવૃત્ત થયા. તેમની પાસે કરન્સી મેનેજમેન્ટ, નૉન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ પરની દેખરેખનો અનુભવ છે અને તેઓએ મુંબઈની આરબીઆઇની સેન્ટ્રલ ઑફિસમાં બેંકિંગ દેખરેખમાં સેવા આપી છે.
તેમની ડિરેક્ટરશિપ અને બૉડી કોર્પોરેટ્સમાં ફૂલ-ટાઇમ પોઝિશન્સ નીચે મુજબ છે:
- વિકાસમ ફાઇનાન્શિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ
- ટ્રાન્ઝૅક્શન એનાલિસ્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ